વિશ્વસનીયતા અને ટેકનોલોજીકલ સ્વ-નિર્ભરતા તરફ ભારતની સફળ ઉડાન

0
748

કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિકન્ડક્ટર, અવકાશ સંશોધન, પરમાણુ ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા અગ્રણી ક્ષેત્રોમાં ભારતે આત્મવિશ્વાસપૂર્વક પગલાં ભરીને ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને હકીકતમાં પરિવર્તિત કરી છે. આ પરિવર્તન ભારતના વિકસિત ભારત@2047 ના દૃષ્ટિકોણ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે, જ્યાં ટેકનોલોજી માત્ર વિકાસનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વનો આધાર બની રહી છે. સંશોધન ઇકોસિસ્ટમને મજબૂતી ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ કેન્દ્રીય ક્ષેત્ર પહેલ ‘વિજ્ઞાન ધારા’ હેઠળ ત્રણ મુખ્ય વ્યાપક યોજનાઓના એકીકરણને મંજૂરી આપી છે. આ પહેલ માટે કુલ ₹10,579.84 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ વધુ વૈજ્ઞાનિકોને તાલીમ આપવી, સંશોધન પ્રયોગશાળાઓના માળખાને આધુનિક બનાવવું અને પ્રયોગશાળાની શોધોને ઝડપથી જમીનસ્તરે લાગુ કરી શકાય તેવું બનાવવાનો છે.