બોલિવૂડ સુપરસ્ટાર અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન લગભગ 37 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તેમણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે ફિલ્મોમાં એવા ઘણા પાત્રો ભજવ્યા છે જેને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. તાજેતરમાં આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિરે તેના ડ્રીમ પ્રોજેક્ટ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે સંકેત આપ્યો કે, તે તેના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’માં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવવા માંગે છે.ઇન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ ટૂંક સમયમાં રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યા છે. ફિલ્મ ‘સિતારે જમીન પર’ના પ્રમોશન દરમિયાન તેમણે હિંટ આપી હતી કે, તેમની છેલ્લી ફિલ્મ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હશે. આ ફિલ્મ પછી તેમની પાસે કંઈ કરવાનું બાકી રહેશે નહીં. ફિલ્મ ‘સિતારે જમીન પર’ પછી તેઓ ફક્ત તેમના ડ્રીમ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Home News Entertainment/Sports આમિર ખાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પછી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે…..