ઈન્દોરનું નવપરિણીત કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી 11 મેના રોજ લગ્ન બાદ હનીમૂન માટે અસમ અને ત્યારબાદ મેઘાલયના શિલોંગ ગયા હતા. 17 દિવસ પહેલા રાજાની હત્યા બાદ સોનમ રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ હતી. આખરે આ સોનમની ભાળ મળી છે. સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ઢાબા પર મળી આવી છે. આ સમાચારે પરિવારને તો રાહતના શ્વાસ આપ્યા જ પરંતુ સમગ્ર દેશને પણ એક વાતની શાંતિ થઈ કે સોનમ જીવિત છે કારણ કે તેની સુરક્ષિત વાપસી માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો. જો કે સોનમ મળી આવી તેની પાછળ એક બીજો ચોંકાવનારો ખુલોસો પણ થયો છે કારણ કે પોલીસે કહ્યું કે સોનમે પતિની હત્યા કરાવી છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. પરિવાર સોનમને પાછી લાવવા માટે ગાઝીપુર રવાના થયો છે. આ બધા વચ્ચે એક એવી પણ જાણકારી સામે આવી છે કે સોનમને ગાઝીપુર પોલીસે મેઘાલય પોલીસ સાથે વાતચીત બાદ ધરપકડ કરી લીધી છે. સોનમ રઘુવંશી હાલ તેના પતિની હત્યાનો પણ આરોપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સોનમ પતિ સાથે હનીમૂન માટે શિલોંગ ગઈ હતી. પરંતુ પછી બંને ગૂમ થઈ ગયા હતા. જ્યારે 2 જૂનના રોજ રાજાની લાશ મળી હતી.