કેન્દ્ર સરકારની એર ક્વોલિટી પેનલે દિલ્હી અને એનસીઆરમાં 10-15 વર્ષ જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને 1 નવેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિદર સિંહ સિરસાએ ગયા સપ્તાહે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ(CAQM)ને આવા વાહનો સામે કાર્યવાહી કરવાનું સ્થગિત રાખવા અપીલ કરી હતી.
સિરસાએ કાર્યકરી અને માળખાકીય સુવિધાઓને લગતી સમસ્યાનો હવાલો આપી આ પગલાંને અપરિપક્વ ગણાવી હતી. સૂત્રોના જણાવ્યાં અનુસાર CAQMએ તેની સમીક્ષા બેઠકમાં દિલ્હીમાં આ નિર્દેશોનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીમાં આગામી 1 નવેમ્બરથી સૌથી વધુ વાહનોની ગીચતા ધરાવતાં પાંચ જિલ્લા ગુરુગ્રામ, ફરિદાબાદ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર તથા સોનિપતમાં આ નિર્દેશોનો અમલ શરૂ કરાશે.






