IPL 2025માં વિજય મેળવ્યા બાદ બેંગલુરુ પહોંચેલી RCBની ક્રિકેટ ટીમને આવકારવા, સન્માનવા હજારોની સંખ્યામાં સમર્થકો ભેગા(stampede) થયા હતા. જોકે ભારે ભીડ વચ્ચે થયેલી ભાગદોડમાં 7 થી વધુ વ્યક્તિના મોતની દુર્ઘટના બની છે. આ ઘટનાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ દુ:ખ વ્યક્ત કર્યું છે.બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિરાટ સેનાનો સન્માન કાર્યકમ થઈ રહ્યો હતો તે દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી. લાખોની સંખ્યામાં લોકો એક્ઠા થયા બાદ પોલીસને પણ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે લાઠીચાર્જ કરવો હતો. તેની વચ્ચે લોકો ભીડમાં ફસાઈ ગયા હતા અને મોત થયા હતા.આ દુર્ઘટનાથી વ્યથિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. PMO દ્વારા અંગ્રેજી અને કનડ ભાષામાં X પ્લેટફોર્મના મધ્યમથી દુ:ખ વ્યક્ત કરાયુ હતું. જેમાં તેમણે આ ઘટના હ્રદયદ્રાવક ગણાવી હતી. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાથના કરી.