ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાનું સ્પેસ મિશન ફરી ટળ્યું…..

0
76

ભારતના અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને લઈને અંતરિક્ષ સ્ટેશન રવાના થનારું એક્સિઓમ-4 (Axiom 04) મિશન બુધવારે ફરીથી ટળ્યું. ફાલ્કન-9 લોન્ચ વ્હિકલના રોકેટ બુસ્ટર પરીક્ષણમાં ઓક્સીજન લીકની ચૂક સામે આવી અને ત્યારબાદ આ સ્પેસ મિશનને સ્થગિત કરવું પડ્યું. જે સાંજે 5.30 કલાકે રવાના થવાનું હતું. આઈએસસ પર શુભાંશુ શુક્લા અને અન્ય યાત્રીઓ 14 દિવસ વિતાવશે.સ્પેસએક્સ તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું છે કે Ax-4 મિશનના ફાલ્કન 9 લોન્ચ વ્હિકલના નીરિક્ષણ દરમિયાન કેટલીક ખામીઓ સામે આી. આથી તેને ઠીક કરવામાં આવશે અને ત્યારબાદ તેના લોન્ચિંગની નવી તારીખ જાહેર કરાશે. જો કે લોન્ચિંગ માટે હવામાન 85 ટકા અનુકૂળ ગણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ફાલ્કન 9 લોન્ચ વ્હિકલના ટેસ્ટિંગ દરમિયાન ઓક્સીજન લીકની સમસ્યા સામે આવી. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા, એલન મસ્કની કંપની સ્પેસ એક્સ અને ઈસરોના જોઈન્ટ અભિયાન તરીકે આ Axiom-4 મિશન લોન્ચ થવાનું છે. તેના અગાઉ પણ ત્રણ લોન્ચિંગ થઈ ચૂક્યા છે. ભારત માટે આ ઐતિહાસિક પળ છે કારણ કે લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસ મિશન પર જશે. લખનઉના રહીશ અને એરફોર્સના પાઈલટ શુભાંશુ શુક્લાએ આ માટે એક વર્ષ સુધી અત્યંત કપરી ટ્રેનિંગ લીધી છે. આ અગાઉ પણ બેવાર Axiom-4 મિશન ટળ્યું છે. 10 જૂનના રોજ લોન્ચ સાઈટ પર હવા અને ભારે વરસાદના કારણે તેને રદ કરવું પડ્યું હતું.