કેન્દ્ર સરકારે 14મી એપ્રિલે જાહેર રજાનું કર્યુ એલાન, બાબાસાહેબ આંબેડકરના માનમાં લીધો નિર્ણય

0
454

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા સરકારી આદેશમાં પુષ્ટિ આપવામાં આવી છે કે 14 એપ્રિલ, 2025ના રોજ આંબેડકર જયંતિ નિમિત્તે ભારતભરના ઔદ્યોગિક મથકો સહિત કેન્દ્ર સરકારની કચેરીઓ બંધ રહેશે. આદેશમાં જણાવાયું છે કે ભારત સરકારના તમામ મંત્રાલયો અથવા વિભાગો આ નિર્ણયને બધાના ધ્યાન પર લાવી શકે છે.