ગાંધીનગર ને મળેલ “દેશના સૌથી સ્વચ્છ” પાટનગર નો એવોર્ડ ગાંધીનગર ની સ્વચ્છતા પ્રેમી જનતા -કોર્પોરેશનના અધિકારીઓ-કર્મ યોગી સફાઈ કામદારો ની દેન : મેયર 

0
1573

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા યોજાયેલ “સ્વચ્છ અમૃત મહોત્સવ”‘માં દેશ ની સૌથી “સ્વચ્છ પાટનગર” તરીકે નો ગાંધીનગર ને મળેલ એવોર્ડ પ્રંસગે મેયર શ્રી હિતેશ મકવાણાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ એવોર્ડ સમગ્ર સમગ્ર ગુજરાત ને ગૌરવ અપાવનાર છે. આ એવોર્ડ નો સંપૂર્ણ શ્રેય હું ગાંધીનગર ની જનતા અને કોર્પોરેશન ના અધિકારીઓ  ખાસ કરીને એવા અધિકારીઓ જેમના શિરે ગાંધીનગર ને સ્વચ્છ રાખવા ની જવાબદારી છે તેવા કર્મયોગી સફાઈ કામદારો ને અર્પણ કરું છું.અને આ પ્રસંગે ગાંધીનગર ની જનતા ને અપીલ કરું છું કે આવી જ રીતે આપણા હરિયાળા ગાંધીનગર ને “સ્વચ્છ” બનાવી રાખીએ અને ગાંધીનગર નું ગૌરવ વધે એવા પ્રયત્નો કરતા રહીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here