ઑપરેશન સિંદૂર થકી પાકિસ્તાન અને તેના આશરે પાળવામાં આવતા આતંકવાદીઓને સબક શીખવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પંજાબમાં આદમપુર ઍરબેઝ પહોંચ્યા. અહીં તેમણે સેનાના જવાનો સાથે મુલાકાત કરી. આ એ જ ઍરબેઝ છે, જેને નુકસાન પહોંચાડવાનો ખોટો દાવો પાકિસ્તાને કર્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ 11 મેની પ્રેસ કૉન્ફ્રેન્સમાં જ આ દાવાને ખોટો પુરવાર કર્યો હતો. હવે પીએમ મોદીએ અહીં પહોંચીને વિશ્વ સામે પાકિસ્તાનના જુઠાણાં ઉઘાડા પાડ્યા છે. આદમપુર ઍરબેઝ પર ભારતીય વાયુ સેના સાથે મુલાકાત કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.આ દરમિયાન વાયુ સેનાના જવાનોએ હાલની સ્થિતિ વિશે માહિતી આપી. આ મુલાકાત દરમિયાન અનેક તસવીરો સામે આવી છે. આમાં એક તસવીરમાં પીએમ મોદીની પાછળ ભારતીય ફાઈટર વિમાનની તસવીરો દેખાઈ રહી છે અને તેની ઉપર લખ્યું છે- કેમ દુશ્મનના પાયલટ બરાબર ઊંઘી નથી શકતા?