અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતનું અર્થતંત્ર વધુ મજબૂતઃ સીતારમણ

0
1038

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, દુનિયાના બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ભારતમાં વર્તાતી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. તાત્કાલિક પગલાં તરીકે સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here