કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સહિત કોઈ પણ દેશ દખલગીરી કરવાની જરૂર નથી

0
1112

અનુચ્છેદ 370 ખતમ કર્યાના 23 દિવસ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે ખુલીને કાશ્મીર મુદ્દે તેમનો પક્ષ રજૂ કર્યો છે. બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, અમારા સરકાર સાથે ઘણાં મુદ્દાઓ વિશે મતભેદ હોઈ શકે છે પરંતુ એ સ્પષ્ટ છે કે, કાશ્મીર અમારો અંગત મુદ્દો છે. પાકિસ્તાન અહીં હિંસા ફેલાવવા માટે આતંકીઓને સમર્થન કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસે કહ્યું છે કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર રાહુલ ગાંધીના નામનો ખોટો ઉપયોગ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here