ગુજરાતમાં લોકડાઉન અંગે નિર્ણય લેવા હાઈ લેવલ કોર કમિટીની મીટિંગ શરૂ

0
423

ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં 15 મેની સાંજથીથી 16 મેની સાંજ સુધીમાં કોરોનાના નવા 1057 કેસ નોંધાયા હતા અને 19 દર્દીના મોત થયા હતા. તેમજ 273 દર્દી સાજા થયા હતા. આમ કુલ કેસ 10989 થયા છે જ્યારે મૃત્યુઆંક 625એ પહોંચ્યો છે અને 4,308 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં આવતીકાલથી લોકડાઉન 4.0 શરૂ થવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલથી વેપાર, ઉદ્યોગ-ધંધા અને ઓફિસમાં કેવી રીતે આગળ વધવું તે બાબતે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર થશે. ત્યાર બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યાથી હાઈ લેવલ કોર કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરો, જિલ્લા અને મહાનગરોમાં કઈ રીતે આગળ વધવું તે અંગે વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ડિટેઈલ્ડ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here