રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 7796 પર પહોંચ્યો

0
770

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે અને 219 લોકોને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી આરોગ્ય વિભાગ અગ્ર સચિવ ડો. જ્યંતિ રવિએ આપી હતી. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 7796 પર પહોંચ્યો છે. રાજ્યમાં અન્ય રાજ્યનો એક દર્દી પણ સારવા લઈ રહ્યો છે. સાથે 10 દિવસમાં કોઈ લક્ષણ ન હોય તો ડિસ્ચાર્જ કરવાની નવી પોલિસી કેન્દ્રની ગાઈડલાઈન મુજબ આપવામાં આવી છે. ગુજરાતની મુલાકાતે આવેલા AIIMS નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે બપોરે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત બેઠક યોજી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here