આજથી દેશમાં International Flight ભરશે ઉડાન

0
715

કોરોના રોગચાળાને કારણે માર્ચ 2020 થી બંધ કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સેવાઓ 27 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. અગાઉ, કેન્દ્ર સરકારે એરપોર્ટ અને ફ્લાઈટ્સ પર હાલના કોવિડ-19 નિયમોમાં ઘણી છૂટછાટ જાહેર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા નિયમો અનુસાર, કેબિન ક્રૂના સભ્યોએ હવે પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ કીટ પહેરવાની જરૂર નથી અને એરપોર્ટ પરના સુરક્ષા કર્મચારીઓ જો જરૂર પડે તો મુસાફરોની તપાસ ફરી શરૂ કરી શકે છે.

સરકારે જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર મેડિકલ ઇમરજન્સી માટે એરલાઇન્સે પણ 3 સીટો ખાલી રાખવાની જરૂર નથી. હવાઈ ​​પરિચાલનની વધુ સારી સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આ નિયમો હળવા કર્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેના આદેશમાં કહ્યું કે, ઉચ્ચ સ્તરના રસીકરણની સાથે, દેશમાં કોરોનાવાયરસ ચેપની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here