ઉત્તરાખંડમાં કુદરતી સંકટ….આભ ફાટવાથી સર્જાયું ભયાવહ દ્રશ્ય

0
432

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્ર એલર્ટ પર છે. તેમજ ચાર ધામ યાત્રા બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, સાવચેતીના ભાગરૂપે શાળા -કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે તેમના ઘરમાં રહેવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બિનજરૂરી મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે. પર્વતોમાં વરસાદ બાદ ઘણી નદીઓ ઉથલપાથલમાં છે. મંદાકિની નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી બની ગયો છે. સોમવારે રાજ્ય સરકારે કટોકટીની બેઠક યોજી હતી જેથી કોઈપણ પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકાય. ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ સતત વરસાદના કારણે સમસ્યા વધી રહી છે.

એવામાં કેટલીય જગ્યાઓ પર યાત્રીઓ ફસાયા હોવાના અહેવાલ છે. SDRF,ઉત્તરાખંડ પોલીસે માંડ માંડ કરીને યાત્રીઓના જીવ બચાવી તેમને મોડી રાત્રે સુરક્ષિત ગૌરીકુંડ પહોંચાડ્યા હતાં. આ યાત્રીઓ કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ફસાયા હતાં અને લોકો પર વરસાદને કારણે કુદરતી સંકટ આવી પહોંચ્યું છે. ગૌરીકુંડ-કેદારનાથ રસ્તા પર મંદાકિની નદીની બીજી તરફ ફસાયેલા ઘાયલ યાત્રીઓ સહિત કેટલાય લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. રાતભર પડેલા મુશળધાર વરસાદ અને તમામ સમસ્યાઓનો સામનો કરીને એસડીઆરએફની ટીમે 22 યાત્રીઓના જીવ બચાવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here