કેનેડા સરકારના એક નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડશે….

0
168

અમેરિકા પછી કેનેડા ગુજરાતીઓનું બીજુ ડ્રીમ કન્ટ્રી છે, જ્યાં આજકાલ દરેક ગુજરાતીને જવામા રસ હોય છે. ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર જનારો વર્ગ મોટો છે. પરંતું કેનેડા સરકાર એક એવો નિર્ણય લેવા જઈ રહી છે, જેનાથી કેનેડા જવા માંગતા ગુજરાતી વિદ્યાર્થીઓના ખ્વાબ ચકનાચૂર થઈ જશે. કારણ કે, હવે કેનેડામાં રહેવા માટે જગ્યાની અછત થવા લાગી છે. તેથી આ દેશ હવે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર લગામ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2022 માં કેનેડામાં 184 દેશોમાંથી 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ત્યારે હવે ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે તે જોઈએ.

કેનેડા સરકારના એક નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડી શકે છે. હકીકતમાં, કેનેડા હાલ ઘરની અછતના સંક્ટ સામે ઝઝૂમી રહ્યો છે. અહી વસ્તી તો વધી રહી છે, પંરતુ રહેવા માટે ઘરની અછત પડી રહી છે. જેને કારણે ઘરના ભાવ હદ કરતા વધી રહ્યાં છે. કેનેડા સરકાર હવે વધતા આવાસ સંકટને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એન્ટ્રીને કન્ટ્રોલ કરવાનો વિચાર કરી રહી છે. આ નિર્ણય પ્રધાનમંત્રી જસ્ટિસ ટ્રુડોની નવી કેબિનેટના મુખ્ય ટાર્ગેટ છે. કારણ કે, વર્ષ 2022 માં 8 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડાએ પહેલા જ પ્રવેશ આપી દીધો છે.