ગરીબ ભક્તોના પૈસાએ લક્ઝુરિયસ લાઇફ ?

0
1063

ગાંધીનગરના રૂપાલામાં ઢબુડી માતાના નામે અંધશ્રદ્ધાનું ડીંડક ચલાવતાં ધનજી ઓડનો અસલી ચેહરો લોકો સામે આવ્યો છે. ઢબુડી માતા બનેલા ધનજી ઓડને લઇ વિજ્ઞાનજાથાએ મોટો ખુલાસો કર્યો છે. જ્યારે તેના સેવકો પત્રકારોને ધમકી પણ આપી રહ્યા છે.

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું કે, આ ધનજી ઓડ અંધશ્રદ્ધાનો મોટો કારોબાર છે. ગરીબ ભક્તોના પૈસાએ લક્ઝુરિયસ લાઇફ જીવી લાઇફ જીવી રહ્યાં છે. ભોગ બનેલા લોકો અમારી પાસે આવ્યા હતા. વિજ્ઞાન જાથા હંમેશા સાચા લોકોની સાથે રહ્યું છે. ત્યારે કંઇક અજુગતુ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી દેવી જોઇએ. સાથે જ જયંત પંડ્યાએ કહ્યું કે, ઢબુડી માતાના સેવકો ગુંડા જેવા છે તેઓ અમને ધમકી આપી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here