ગાંધીનગરના સેક્ટર-29ના રહેવાસી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં લાપતા…..

0
86

ગાંધીનગરના સેક્ટર-29ના રહેવાસી ચૈતન્યભાઈ રમણલાલ પરીખ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં લાપતા છે. તેઓ સ્ટેનોગ્રાફર વર્ગ-1માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે. લંડનમાં રહેતા પોતાના સંતાનોને મળવા જઈ રહ્યા હતા.

ચૈતન્યભાઈ અંજલી પેલેસમાં એકલા રહેતા હતા. બે વર્ષ પહેલા તેમના પત્નીનું અવસાન થયું હતું. તેમના દિકરો અને દિકરી લંડનમાં સ્થાયી છે. અમદાવાદથી ઉપડેલી ફ્લાઈટમાં તેઓ 113 નંબરના પેસેન્જર હતા.

દુર્ઘટનાની જાણ થતાં તેમના ભાઈ અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે. ચૈતન્યભાઈ સેક્ટર-21 હવેલી મંદિર સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. રવિવારે મંદિરમાં યોજાયેલા કેરીના મનોરથમાં તેમણે હાજરી આપી હતી.

મોડી સાંજ સુધી ચૈતન્યભાઈનો કોઈ પત્તો લાગ્યો નથી. તેમના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. આ ઘટનાને કારણે ગાંધીનગર વૈષ્ણવ સમાજમાં શોકની લાગણી છવાઈ છે.