ગુજરાતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીની છૂટછાટની શક્યતા

0
482

ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં 15 મેની સાંજથીથી 16 મેની સાંજ સુધીમાં કોરોનાના નવા 1057 કેસ નોંધાયા હતા અને 19 દર્દીના મોત થયા હતા. તેમજ 273 દર્દી સાજા થયા હતા. આમ કુલ કેસ 10989 થયા છે જ્યારે મૃત્યુઆંક 625એ પહોંચ્યો છે અને 4,308 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આવતીકાલ સવારથી દેશભરમાં લોકડાઉ 4.0 શરૂ થશે. આ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. જે મુજબ હાલ રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. તેમજ સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન
અને ઓરેન્જ ઝોન અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. આ અંગે નિર્ણય કરવા માટે આજે સાંજના 5 વાગ્યાથી મુખ્યમંત્રીની અધ્યક્ષતા હાઈ લેવલ કોર કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરો, જિલ્લા અને મહાનગરોમાં કઈ રીતે આગળ વધવું તે અંગે પરામર્શ કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ડિટેઈલ્ડ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here