જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા હોસ્પિટલમાં દાખલ

0
1027

ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા માધવી રાજે સિંધિયાની તબીયત ખરાબ હોવાના કારણે તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનામાં કોવિડ 19 જેવા લક્ષણો જોવા મળ્યા છે. બંને લોકોની તબીયત સામાન્ય બતાવવામાં આવી રહી છે. હાલ તેમનો કોવિડ 19નો રિપોર્ટ નથી આવ્યો.

જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીકના લોકોએ જણાવ્યું કે તેમને ગળામાં ખારાશ અને તાવ હતો. ત્યાર બાદ તેમને દિલ્હીની સાકેત સ્થિત હોસ્પિટલમાં ડૉક્ટરોના કહેવા પર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાને દાખલ કરવામાં આવ્યા છે. દાખલ કરવામાં આવ્યા છે.

આજે બીજા દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ હજુ કોવિડ 19ની ટેસ્ટિંગ રિપોર્ટ નથી આવ્યો. જેના કારણે એ કન્ફર્મ નથી થઈ શક્યું કે તેમના કારોના વાયરસ છે કે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here