દિવાળી પહેલાં જ રેલવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો ધરખમ વધારો

0
222

રેલવે બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે. ભારતીય રેલવે બોર્ડના આ નિર્ણયથી રેલવેના કર્મચારીઓને તો દિવાળી પહેલાં જ દિવાળી થઈ ગઈ છે. આ વધારા સાથે રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી વધી જશે. કેન્દ્ર સરકારે છ દિવસ પહેલા જ કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા માં 4 ટકાનો વધારો કર્યો હતો ત્યારે હવે આજે દશેરાના પર્વે જ રેલવે બોર્ડે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

આ જાહેરાત સાથે જ રેલવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 46 ટકા સુધી વધી જશે. પહેલા કર્મચારીઓને મૂળ પગાર ના 42 ટકા જ ડીએ મળતું હતું. આ વધારો 1 જુલાઈ 2023થી જ અમલમાં આવશે અને કર્મચારીઓને બાકીના પગારમાં વધારાનો ડીએ મળશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાતના છ દિવસ બાદ રેલવે બોર્ડે આ જાહેરાત કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરી હતી.