દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા રાધાકૃષ્ણન…..

0
309

સી.પી. રાધાકૃષ્ણન (ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન)એ આજે (12 સપ્ટેમ્બર, 2025) ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે અને તેઓ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત વિશિષ્ટ સમારોહમાં તેમને શપથ અનુપાલન કરાવ્યું હતુ. આ સમારોહ સવારે 10:05 વાગ્યે શરૂ થયો હતો, જેમાં એનડીએના વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ શપથ સમારોહ રાષ્ટ્રપતિ મુર્મુએ પંડિતોના સલાહ મુજબ શુભ મુહૂર્તમાં આયોજિત કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા અને કહ્યું, “શ્રી સી.પી. રાધાકૃષ્ણને 2025ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજય મળવા પર અભિનંદન! તેમનું જીવન હંમેશા સમાજ સેવા અને ગરીબ-વંચિતોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે. હું વિશ્વાસ કરું છું કે તેઓ ઉત્કૃષ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે.”ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક પછી રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ છોડી દીધું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલયના નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલના વધારાના કાર્યોની જવાબદારી સોંપી છે. આ વ્યવસ્થા રાજ્ય વહીવટને અસર નહીં કરે.