ભારતીય સરહદ સુરક્ષાને લઇને ISRO કરશે 3 ઉપગ્રહ લોન્ચ

0
1457

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે 3 ઉપગ્રહોની મદદથી પૃથ્વી નિરીક્ષણ અથવા સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આમાંથી એક 25 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે, જ્યારે બે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. સરહદ સુરક્ષા માટે આ ઉપગ્રહો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે સરહદ સુરક્ષા માટે આ ઉપગ્રહો અવકાશમાં ભારતની આંખોનું કામ કરશે.

એક ઉપગ્રહ 25 નવેમ્બરના રોજ લોન્ચ થશે,ઉપગ્રહને બોર્ડરની સિક્યોરિટી માટે મહત્વનો ગણાશે,PSLV 2 ડઝન વિદેશી નૈનો અને માઈક્રો સેટેલાઈટ લઈને જશે.નિષ્ણાતો કહે છે કે સરહદ સુરક્ષા માટે આ ત્રણેય ઉપગ્રહો અવકાશમાં ભારતની આંખોનું કામ કરશે. આ સિવાય પીએસએલવી ત્રણ પ્રાઈમરી સેટેલાઈટ, બે ડઝન વિદેશી નૈનો અને માઇક્રો સેટેલાઈટ પણ લઈને જશે.25 નવેમ્બરે લોન્ચ થશે આ સેટેલાઈટ.

PSLV સી-47 રોકેટને શ્રીહરિકોટથી 25 નવેમ્બરે 9.28 મિનિટે લોન્ચ કરવામાં આવશે. આ PSLV પોતાની સાથે થર્ડ જનરેશનની અર્થ ઈમેજિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-3 અને અમેરિકાના 13 કર્મશલ સેટેલાઈટ લઈને જશે. ઈસરોનું કહેવું છે કે 13 અમેરિકી નૈનો સેટેલાઈટ લોન્ચ કરતાં પહેલાની ડીલ હાલમાં વ્યાવસાયિક શાખા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડે કરી હતી. કાર્ટસેટ-3ને 509 કિલોમીટરના ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે.

ઈસરોના ઈતિહાસમાં પહેલી વાર બનશે આ ઘટના

આ પછી બે અન્ય સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. રીસૈટ-2BR1  અને રીસૈટ- 2BR2. તેને પીએસએલવીસી 48 અને સી 49ની મદદથી ડિસેમ્બરમાં શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ પહેલાં એજન્સીને 22 મેએ આવશે. રીસૈટ-2B અને 1 એપ્રિલે ઈએણઆઈસૈટ લોન્ચ કર્યા હતા. આ સમયે મિશન ચંદ્રયાન -2ના કારણે ઓપરેશનલ સેટેલાઈટના લોન્ચિંગમાં સમય લાગ્યો હતો. ઈસરોના ઈતિહાસમાં પહેલી વાર એવું બનશે કે લશ્કરને માટે 3 સેટેલાઈટ એક જ જગ્યાએથી લોન્ચ કરવામાં આવશે.

કાર્ટોસેટ 3 પૂર્વના કાર્ટોસેટ 2થી ઘણું એડવાન્સ છે. તેનું રિઝોલ્યુશન 0.25 કે 25 સેન્ટીમિટર સુધીનું છે. આ પહેલાં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટના રિઝોલ્યુશન પાવર ઓછા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here