મહારાષ્ટ્રમાં ‘ક્યાર’ વાવાઝોડાને લીધે ભારે પવન સાથે વરસાદની સંભાવના

0
1255

આગામી 24 કલાકમાં 110 કિમીની ઝડપે ફૂંકાવાની આગાહી

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચક્રવાત ‘ક્યાર’ને લઈને ઉચાટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે શુક્રવારે બપોરના જાહેર કરેલી ચેતવણી મુજબ મહારાષ્ટ્રમાં આગામી 12 કલાકમાં રત્નાગીરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ભારે દબાણ હવે વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. આ વાવાઝોડાને પગલે ચોવીસ કલાક સુધીમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સિંધુદુર્ગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અંદાજ મુજબ આ વિસ્તારમાં આઠથી દસ ઈંચ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ચક્રવાત ક્યારને પગલે 85-110 કિમીની ઝડપ પવન ફૂંકાવાની વકી છે. જ્યારે રત્નાગીરી, સિંધુદુર્ગ, રાયગઢ તેમજ ગોવામાં 75 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ડીપ ડીપ્રેશનને પગલે મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર કર્ણાટક અને ગુજરાતના દરિયાકાઠાના વિસ્તારોમાં પણ 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here