મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ..

0
125

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ આજે તા. ૫ જૂનના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાયો છે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં છે.

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થયુ છે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ થયુ છે. ઉજવણી સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.વધુમાં, સમારોહ દરમિયાન મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.ઇ.ટી.પી. (CETP) અને સુરતમાં તેના મેમ્બર યુનિટ્સ વચ્ચે ઔદ્યોગિક કચરાના અસરકારક નિકાલ માટે એમ.ઓ.યુ. (MoU) હસ્તાંતરિત કરવામાં આવશે. સમારોહ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા “પ્લાસ્ટિકના વિકલ્પો, રિસાયક્લિંગ અને સર્ક્યુલર ઇકોનોમી” વિષય પર, વન વિભાગ દ્વારા “વન અને ક્લાઈમેટ એક્શન” વિષય પર તેમજ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “એન્વાયરન્મેન્ટ સસ્ટેનેબિલિટી માટે શહેરી અને ગ્રામ્ય વિકાસ” વિષય પર ટેક્નીકલ સત્રો યોજાશે.
આ સમારોહ મહત્વપૂર્ણ પોલિસી મેકર્સ, ઇન્ડસ્ટ્રિઝ એક્સપર્ટ, એન્વાયરન્મેન્ટ એક્સપર્ટ અને સિવિલ સોસાયટીને એકત્રિત કરીને ગુજરાતના હરિયાળા, સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત ભવિષ્યના કમિટમેન્ટને આગળ વધારવાનો મંચ બનશે.