રાજકોટના U.V ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુનો આપઘાત…..

0
888

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના ધરાવતા કડવા પાટીદાર આગેવાન અને સૌરાષ્ટ્રની જાણીતી યુ.વી. ક્લબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠીમાં ગંભીર આક્ષેપો કરી અને અંતિમ પગલું ભરી લેતા સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં હાહાકાર મચી ગયો છે. એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ અંતિમ ચિઠ્ઠી લખી અને આપઘાત કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે આપઘાત કરતા પહેલાં પ્રેસ નોટના સ્વરૂપે અંતિમ ચિઠ્ઠી લખી છે અને આ અંતિમ ચિઠ્ઠીમાં મિલકતનો વિષય સામે આવી રહ્યો છે.મહેન્દ્ર ફળદુએ દવા પી અને ગળેફાંસો લગાવી અને આપઘાત કરી લીધો હતો. મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી હતી.જમીનના પૈસા અટવાઈ જવાની વિગતો અંતિમ ચિઠ્ઠી કમ પ્રેસ નોટમાં સામે આવી છે. આ ઘટના બાદ સૌરાષ્ટ્રમાં હાહાકાત મચી જવાની શક્યતા છે. એડવોકેટ મહેન્દ્ર ફળદુ સામાજિક રીતે પણ સક્રિય હતા અને પાટીદાર સમાજમાં નામના ધરાવતા હતા. તેમના આ પગલાના કારણે રાજકોટ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here