રાજ્યમાં કોરોનાના 20,097 કેસ નોંધાયા

0
422

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 480 નવા કેસ સાથે કુલ કેસ 20 હજારને પાર થઈ ગયા છે. જ્યારે આજે 30 દર્દીના મોત થયા છે અને 319 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ કેસ 20,097 અને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13,643એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1249 થયો છે. અમદાવાદમાં 318, સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 6, પાટણમાં 5, ખેડામાં 4 અને સુરેન્દ્રનગરમાં 4 કેસ નોંધાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here