વિજય રૂપાણી આજે અંતિમ સફરે, રાજકોટમાં સાંજે 6 વાગ્યે અંતિમ સંસ્કાર……

0
40

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ વાગે પહોંચશે તથા અનેક સેલિબ્રિટી આજે અંતિમયાત્રામાં જોડાશે. સંઘના આગેવાનો પણ વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાની દુર્ઘટનામાં મોત થયુ હતુ. આજે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવાર સ્વીકારશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.જે 108 એમ્બ્યુલન્સમાં વિજય રૂપાણીના મૃતદેહને લઈ જવાના છે, તેને ફૂલો લગાવવામાં આવી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે મૃતદેહ લેવા માટે પહોંચશે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ પાસે રાજકીય નેતાઓ હાજર છે.આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજય રૂપાણીના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં નહોતો. જેથી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. લગભગ 70 કલાક પછી તેમના ભત્રીજા અમિનેષ રૂપાણીના DNA સાથે મેચ થતા મૃતદેહની પુષ્ટિ થઈ હતી. વિજયભાઈના મૃતદેહને AI-100 તરીકે નંબર આપવામાં આવ્યો હતો. તેમના ડેથ સર્ટિફિકેટ સહિતની તમામ ફોર્માલિટી પુરી કરી દેવામાં આવી છે.