સેકટર-21 શાક માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનો પ્રારંભ

0
266

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજય સરકારના સહયોગથી રાજ્યના સૌ પ્રથમ ગાંધીનગરના સેકટર- 21 શાકમાર્કેટમાં સ્થાપેલાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનાં વેચાણ કેન્દ્ર The Natural Shopનો શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખેત પેદાશો તેમજ તેની બનાવટની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજયપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા રાજય સરકાર દ્વારા દરેક જિલ્લા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો સ્થાપવાનું આયોજન હાથ ધરાયું છે. જેના કારણે લોકોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે અને ખેડૂતોને પ્રારંભિક કૃષિ ઉત્પાદનોનું માર્કેટ મળશે.
આ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેન્દ્રના શુભારંભ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર મહેશસિંગ, આત્માના સ્ટેટ નોડલ ઓફિસર ડી.વી.બારોટ, ગુજરાત રાજય બીજ નિગમના મેનેજીંગ ડિરેકટર પી.એસ.રબારી, નાયબ બાગાયત નિયામક ડી.જે.પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર બી.એમ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.આર.પટેલ સહિત આમંત્રિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here