હવે ગાંધીનગરમાં એક ટાઈમ દૂધ મળશે !

0
808

ગાંધીનગરમાં દિવસે દિવસે કોરોનાના દર્દી વધી રહ્યા છે ત્યારે ઘણી જગ્યાએ વસ્તુ લેવા માટે નાગરિકો રસ્તા પર આટા ફેરા કરી રહ્યા છે. આ ગંભીરતાને ધ્યાને તંત્ર ધ્વરા મહત્વનો નિર્ણય કરાયો છે.  આ નિર્ણય લોકો અલગ અલગ કારણોથી બહાર ફરેછે એટલે લેવાયો છે. આ અંગે ગાંધીનગરના મેયરે જણાવ્યું હતું કે હવેથી દૂધના કેન્દ્રો, પાર્લરો સવારે 5થી 8 વાગ્યા સુધી દિવસમાં એકવાર ખુલ્લા રહશે. માત્ર એક  જ  સમય મળશે તેમજ મોલ, કરિયાણાની દુકાનો ગ્રાહક માટે ફરજીયાત બંધ રહશે. દુકાનો અને મોલ માંથી માત્ર હોમ ડિલિવરી જ કરશે. અમલ ન કરનાર સામે કાયદાકીય પગલાં ભરાશે.ફેરિયાઓ શેરીઓમાં ફરીને શાકભાજી આપશે. નાગરિકો કોઈ પણ મુશ્કેલી માટે 079 23222742 તથા 8141800751 પર સંપર્ક કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here