Pahalgam આતંકી હુમલાની તપાસ કરશે NIA, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી

0
34

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની (Pahalgam Attack)તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય (MHA)એ આ સંદર્ભમાં એક સત્તાવાર સૂચના જાહેર કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ NIA ટીમ પહેલાથી જ પહેલગામમાં હાજર હતી અને હુમલા પછી સ્થળનું નિરીક્ષણ કર્યું છે.

ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત
હાલમાં એજન્સીની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે. તપાસ એજન્સી સ્થાનિક પોલીસ પાસેથી આ મામલાને લગતા કેસ ડાયરી, એફઆઈઆર અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના આતંકવાદી હુમલાએ ફરી એકવાર આ પ્રદેશમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને હવે દેશની મુખ્ય આતંકવાદ વિરોધી એજન્સીને સોંપવામાં આવ્યું છે. NIA ટૂંક સમયમાં હુમલાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે, જેમાં હુમલા પાછળનું કાવતરું, તેમાં સામેલ આતંકવાદી જૂથોની ભૂમિકા અને સંભવિત સ્લીપર સેલનો સમાવેશ થાય છે.