IPLની 7 મેચો દરમિયાન કેટલાક રસ્તા પર વાહનો માટે પ્રતિબંધ ?

0
68

IPL 2025ના 7 રોમાંચક મુકાબલાઓ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી 18 મે, 2025 સુધી યોજાશે. આ મેચો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને લોકોની સુરક્ષા જળવાય તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ-ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. મેચ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ અને વૈકલ્પિક રૂટ
મોટેરા ખાતેના સ્ટેડિયમમાં IPL 2025ની મેચોને કારણે, અમદાવાદ શહેરના જનપથ T થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ સુધી અને કૃપા રેસીડેન્સી T થી મોટેરા ગામ ટીમ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે, તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, જનપથ T, પાવર હાઉસ ચાર રસ્તા અને પ્રબોધરાવળ સર્કલ સુધી અવરજવર શક્ય રહેશે.