PM મોદી આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે….

0
56

અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની પડખે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે ઊભો રહ્યો છે. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક “સ્વ” નહિં “સમસ્તિ” માટે સેવારત છે, તમામ લોકો એકજૂટ થઈને એક એક જીવ બચાવવા નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.PM નરેન્દ્ર મોદી IGB ગ્રાઉન્ડ પહોંચી વિમાન દુર્ઘટનાસ્થળે મુલાકાત લીધી છે. હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સાથે ઘટનાનો તાગ મેળવી રહ્યાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.વિપક્ષનેતા અમિત ચાવડાએ હોસ્પિટલમાં મુલાકાત લીધી છે. ઘાયલોના સિવિલ હોસ્પિટલમાં ખબરઅંતર જાણ્યા છે. મૃતકોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી છે.

PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. થોડીવારમાં સિવિલ હોસ્પિટલ પહોંચી દર્દીઓ અને તેમના પરિવારની મુલાકાત લેશે. CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ ડોમેસ્ટિક ટર્મિનલ પહોંચ્યા છે. પૂર્વ CM વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી ગાંધીનગર નિવાસસ્થાન પહોંચ્યા છે. પ્લેન ક્રેશ થતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતું.તપાસ માટે રાજ્ય સરકારે વિશેષ કમિટી બનાવી છે. કમિટીના અધિકારી IAS નીતિન સાંગવાનનું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી 140થી વધુના DNA લેવાયા છે, આખી રાત DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રહી હતી. તમામ DNA સેમ્પલના રિપોર્ટ 72 કલાક બાદ આવશે. રિપોર્ટ બાદ અમે પરિવારોને બોડી સુપરત કરીશું.

સિવિલ હોસ્પિટલ તંત્ર DNA રિપોર્ટ કરી લોકોની ઓળખ કરી મૃતદેહો પરિવારને પરત કરશે. વિજય રૂપાણીની બહેનોએ DNA માટે સેમ્પલ આપ્યું છે. હાલ મેડિકલના 10 વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે. કાટમાળમાં 10 મેડિકલ વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઈ રહી છે. પાયલોટ, કો-પાયલોટના મૃતદેહની ઓળખ થઈ છે. પ્લેનના એક ક્રુ મેમ્બરના મૃતદેહની ઓળખ થઈ છે. PM ની મુલાકાતને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે.