SBIએ હોમ લોન અને ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો…

0
1380

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ MCLRમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. આ અગાઉ વાર્ષિક MCLR 8.25 ટકા હતો જે હવે ઘટીને હવે 8.15 ટકા કરી દેવાયો છે. માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં ઘટાડો થવાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે.

આ ફેરફાર 10 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ નાણાકીય વર્ષ 2019-20માં આવું પાંચમી વખત થયું છે કે જ્યારે એસબીઆઈએ પોતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોય. આ ઉપરાંત બેંકે ફિક્સ ડિપોઝિટમાં પણ ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. રિટેલ ડિપોઝિટ દરમાં પણ 0.25 ટકાનો ઘટાડો અને ટર્મ ડિપોઝિટ રેટ પર 0.10 થી 0.20નો ઘટાડો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here