અમદાવાદમાં કોરોનાથી 47 વર્ષની મહિલાનું મોત…..

0
246

અમદાવાદમાં કોરોના થી પહેલું મૃત્યુ નોંધાયું છે. અમદાવાદના દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે. મહિલા હાઇપરટેન્શન અને બીપી જેવા રોગોથી પીડાતા હતા.રાજકોટ માં કોરોના નાં વધુ 7 નવા કેસ નોંધાયા છે. જેમાં 4 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. 2 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 44 થઈ ગઈ છે. ગુજરાતમાં 320 કેસ એક્ટિવ છે. રાજ્યમાં 3 વર્ષ બાદ કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કેસ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં ગુજરાત ચોથા ક્રમે છે.