સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત : આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે

0
1050

રાજ્યમાં હવામાન વિભાગે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ સતર્ક છે. જેના કારણે સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદની આગાહી કરી છે. તેના સિવાય સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત કરી દીધી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મંગળવારે પડેલા વરસાદમાં અંકલેશ્વર, ભરૂચમાં ભારે તારાજી સર્જી હતી. ભરૂચના દાંડિયા બજાર વિસ્કારોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. ભરૂચના ગોરા ખાતે ડૂબાડૂબ ડેમ પણ ભયજનક સ્થિતિમાં છે.

મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર રહી હતી. આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here