કેરળના દરિયાકાંઠે લાઇબેરિયાનું માલવાહક જહાજ ડૂબ્યું……

0
146

લાઇબેરિયાનું એક માલવાહક જહાજ રવિવાર વહેલી સવારે કેરળના દરિયાકાંઠે સમુદ્રમાં પલટી ખાઈને ડૂબી ગયું હતું. આ દુર્ઘટના પછી તરત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ અભિયાન હાથ ધરીને તમામ 24 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતાં. આ માલવાહક જહાજમાં 13 જોખમી કાર્ગો સહિત 640 કન્ટેનર હતાં, જેનાથી પર્યાવરણને નુકસાન થવાની આશંકા વધી ગઈ છે. આ ઘટનાને કારણે મોટા પ્રમાણમાં દરિયામાં ક્રુડ ઓઇલ લીકેજ થયું હતું.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે 24 મેના રોજ વહેલી સવારે MSC ELSA ૩ પલટી ખાઈને ડુબી ગયું હતું. 184 મીટર લાંબુ જહાજ શુક્રવારે વિઝિંજામ બંદરથી કોચી માટે રવાના થયું હતું. આ જહાજની માલિક કંપનીએ તાકીદે સહાયની માગણી કરી હતી. જહાજના 24 સભ્યોના ક્રૂમાં એક રશિયન (માસ્ટર), 20 ફિલિપિનો, બે યુક્રેનિયન અને એક જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ થાય છે. INS સુજાતા દ્વારા તમામ ક્રુ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતાં.