કોરોનામાં કેદ શાળા-કોલેજોના તાળાં ૨૩ નવેમ્બરે ખુલી જશે…!!

0
690

ગુજરાત સરકારે આગામી ૨૩મી નવેમ્બરથી રાજ્યની શાળાકોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો
છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ આ
નિર્ણયમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની જવાબદારી આચાર્યોને સોંપવાનું
નક્કી કરાયું છે. ૨૩મી થી ધો.૯ અને ૧૨ તથા કોલેજાેમાં
શિક્ષણકાર્ય શરૂ કરાશે. જ્યારે ધો.૧ થી ૮ માટે પછીથી નિર્ણય લેવામાં આવનાર છે. કોરોના મહામારીને પગલે
માર્ચ મહિનાથી લોકડાઉનની સ્થિતિમાં બંધ રહેલી શાળા-કોલેજાે દિવાળી બાદ શરૂ કરવા અંગે
કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here