ગાંધીનગરમાં ગણેશજીની ધામધૂમપૂર્વક સ્થાપન કરાયું

0
876

ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીએ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ગણેશજીનો જન્મ મધ્યાહનકાળ (બપોર)માં થયો હતો. એટલા માટે આ સમયે ગણેશજીની સ્થાપના અને પૂજા કરવી જોઈએ. ગણેશ ચતુર્થીએ ગણેશજીની સ્થાપના અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે અને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે કરવામાં આવેલું દાન, વ્રત અને શુભ કાર્યોનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here