રાજ્યમાં કોરોના સંક્રમિત 26737 કેસ નોંધાયા

0
918

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 540 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે અને 340 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,198 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1619 પર પહોંચ્યો છે.રાજ્યમાં અત્યારસુધીમાં 18169 દર્દી સાજા થયા છે.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણા 12, ગાંધીનગર- 9, ભરુચ-9, જામનગર- 9, પાટણ 8, અરવલ્લી, 7, રાજકોટ 5, કચ્છ, જુનાગઢ 4, નર્મદા 4, વલસાડ-3, ભાવનગર-2, સાબરકાંઠા – 2, ખેડા-2, દાહોદ-2, સુરેન્દ્રનગર-2, બનાસકાંઠા-1, મહીસાગર-1, આણંદ-1, પંચમહાલ-1, છોટાઉદેપુર-1 અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1619 લોકોનાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here