સલમાન-કરણ સહિત 8 લોકો સામે કેસ દાખલ

0
1064

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને બિહારથી મુજફ્ફરપુરમાં બૉલીવુડની કેટલીયે નામચિન હસ્તીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરમાં સુશાંત સિંહ આત્મહત્યા મામલે કોર્ટમાં કરણ જૌહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભંસાળી, સાજિદ નડિયાદવાળા, આદિત્ય ચોપડા, ભૂષણ કુમાર અને દિનેશ સહિતના 8 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

અધિવક્તા સુધાર ઓઝાએ જણાવ્યુ કે આ તમામ પર આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવીને સીજેએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઓઝા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવાયુ છે કે, કરણ જૌહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાળા, સલમાન ખાન, સંજય લીલા ભંસાળી, ભૂષણ કુમાર, એકતા કપૂર તથા નિર્માતા-નિર્દેશક દિનેશ વિજાન પર આરોપ લગાવવામાં આવ્યો છે, કે કાવતરા અંતર્ગત આ લોકો સુશાંતની ફિલ્મો રિલીઝ ન હતા થવા દેતા, આ કારણે ફિલ્મ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સુશાંતને આમંત્રિત ન હતો કરાતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here