કોરોનાના પોઝિટિવ કેસ 4,730 દર્દી, મૃત્યુઆંક 236

0
828

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા પોઝિટિવ કેસ અને 22 દર્દીના મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 236 થયો છે અને અત્યાર સુધીમાં કુલ 4,721 કેસ નોંધાયા છે. તેમજ 123 દર્દી સાજા થતાં અત્યાર સુધીમાં 736 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે, જ્યારે સતત ત્રીજા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 29 એપ્રિલે 308 અને 30 એપ્રિલે 313 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 19 એપ્રિલે પણ 367 દર્દી સામે આવ્યા હતા. આમ રાજ્યમાં કુલ 4 વાર 300થી વધુ કોરોનાાના દર્દી નોંધાયા છે.

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, પોલીસ પર થતા હુમલા ગંભીર બાબત છે. આ પ્રકારે પોલીસ પર હુમલા કરવામાં આવશે તો હુમલા કરનાર સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા માટે લોકોનો સહકાર જરૂરી છે. જનતા પૂર્ણ સહકાર કરશે ત્યારે પોલીસ સંપૂર્ણ રીતે સફળ થશે. જો કોઇ લોકડાઉનનો ભંગ કરતુ હોય તો લોકો તેના વિશે માહિતી આપે. પોલીસ ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી નજર રાખી રહી છે. ડ્રોનથી ગઇકાલે 293 અને સીસીટીવીથી 113 ગુના નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ 23 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here