કોરોના પોઝિટિવ 15,944 કેસ નોંધાયા, 980ના મૃત્યુ

0
640

રાજ્યમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં નવા 372 કેસો નોંધાયા છે અને 20ના મૃત્યુ થયા છે જ્યારે 608 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 15,944 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 980 થયો છે જ્યારે 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં જિલ્લા દીઠ નોંધાયેલા નવા કેસોની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં 253, સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 7, છોટા ઉદેપુરમાં 7, કચ્છમાં 4 અને નવસારીમાં 2 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 15,944 કેસમાંથી 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 6,287ની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધીમાં 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 980ના મૃત્યુ થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here