ગુજરાતમાં કોરોના પોઝિટિવના 519 દર્દી થઈ ગયા : 25ના મોત

0
638

ગુજરાતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આજે વધુ નવા 36 કેસ નોંધાયા છે. આણંદમાં 2 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. સવારે 516 કેસ હતા તે હવે વધીને 468 થઈ ગયા છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં કોરોના પોઝિટિવ 3 દર્દીના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 25નાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 90 નવા કેસ નોંધાયા છે. આજે જે 36 નવા કેસ સામે આવ્યા છે. તેમાં અમદાવાદમાં 15, વડોદરામાં 18,ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપરુમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે અહીં કોરોનાના 243 કેસ છે. તેના બાદ વડોદરામાં 95 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here