ગુજરાતીઓએ દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના સંદેશને આવકાર્યો

0
550

સમગ્ર ગુજરાતમાં લોકોએ લાઇટો બંધ કરી દીવડાં, મીણબત્તીઓ પ્રગટાવી છે. સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરમાં દીવડાં પ્રગટાવવામાં આવ્યાં છે. જેમાં સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મિનિટ માટે લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ સાથે બાલ્કની કે ઘરના દરવાજા પર ઊભા રહેવાનો વડાપ્રધાને સંદેશ આપ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો આ વાતને આવકાર આપી રહ્યાં છે. ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ ત્યાં દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના સંદેશને આવકાર્યો છે. સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો આ વાતને આવકાર આપી રહ્યાં છે. ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ ત્યાં દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના સંદેશને આવકાર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here