વડાપ્રધાને દીપ પ્રગટાવી સ્ટે હોમ, સ્ટે સેફનો સંદેશ આપ્યો

0
922

કોરોનાવાયરસના અંધકાર વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશવાસીઓએ રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી લાઇટો બંધ કરી દીધી અને દીવા, મીણબત્તી, ટોર્ચ અને ફોનની ફ્લેશલાઇટો ચાલુ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને યાદ દેવડાવવા માટે ટ્વિટ પણ કર્યું હતું. આ પહેલા મોદીએ કોરોના સંબોધનમાં કહ્યું હતુંકે 5 એપ્રિલના મહાશક્તિનું જાગરણ કરવું છે જેથી લોકો લોકડાઉન દરમિયાન પોતાને એકલા ન મહેસૂસ કરે.લોકોએ દીવા પ્રગટાવીને સ્ટે હોમ, સ્ટે સેફનો સંદેશ આપ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here