ભારત અને ચીન વચ્ચે સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત

0
762

ભારત અને ચીન વચ્ચે શનિવારે લેફ્ટનન્ટ જનરલ લેવલના સૈન્ય કમાન્ડરો વચ્ચે ચર્ચા થઈ હતી. રવિવારે વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું કે હવે ચીન આ સમગ્ર વિવાદને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા તૈયાર છે. દ્વિપક્ષીય કરાર મુજબ બંને પક્ષો સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ સમાધાન પર સહમત થયા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને દેશો વચ્ચે વાતચીત ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. બંને પક્ષે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠને પણ યાદ કરી. બંને દેશોએ સંમતિ આપી કે આ મુદ્દાના ઝડપી સમાધાનથી સંબંધોમાં પરિણમશે. “પહેલા સિક્કિમ અને પછી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર બંને દેશો વચ્ચે તણાવ થયો હતો. તેની શરૂઆત 5 મેના રોજ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવથી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here