રાજ્યમાં કુલ 19,617 કેસ અને 1219 મૃત્યુઆંક

0
665

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 498 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દઓના મોત થયા છે. તેમજ 313 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુસ પોઝિટિવ કેસ 19,617 થયા છે, જ્યારે મૃત્યુઆંક 1219એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 13,324 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4, ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા મોતમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here