જૂનાગઢના વિસાવદર તાલુકામાં ભૂકંપના ઝટકા અનુભવાયા….

0
127

જિલ્લાના વિસાવદર તાલુકામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં રાતે 9.15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિસાવદર તાલુકાના રતાંગ, ગીર, છાલડા અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 હોવાનું સામે આવ્યું છે. સાથે જ ગીર સોમનાથમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં તાલાળા સહિત ગીર ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. જેથી આ ભૂકંપના આંચકાઓને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપને લઈને લોકો ઘરની બહાર દોડીને આવ્યા હતા. વેરાવળ પંથકમાં પણ આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે આ ભૂકંપમાં કોઈ જાનહાની કે માલમિલકતને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. પરંતુ લોકોમાં ભૂકંપને લઈને ભયનો માહોલ ફેલાયો છે. મોટા ભાગના લોકો આવી પરિસ્થિતિમાં ડરી જતા હોય છે. જોકે આવા સમયે તુરંત સાવચેતી રાખવી વધારે જરૂરી બને છે.