ઇન્ડિગો સંકટ વચ્ચે આજે પણ અનેક ફ્લાઇટ રદ :અમદાવાદ એરપોર્ટ પર અટવાયા અનેક મુસાફરો

0
488

ઇન્ડિગો એરલાઇન્સના સંકટને કારણે આજે પણ અનેક ફ્લાઇટો રદ થતા અમદાવાદ એરપોર્ટ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. ફ્લાઇટો રદ થવાને કારણે અનેક મુસાફરો અટવાઈ ગયા છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ફ્લાઇટો રદ થવાનો આ સિલસિલો ચાલી રહ્યો છે, જેના પગલે એરપોર્ટ પર લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા છે. પોતાની ફ્લાઇટ રદ થતા કેટલાક હવાઈ મુસાફરો કેમેરા સામે રડી પડ્યા હતા.